Bhavesh Viramgama

Bhavesh Viramgama

Contact Us Now

+91 9825975097

Vastu Dosha in a rented house?

ભાડાના મકાનમાં વાસ્તુદોષ નડે છે ?

ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે આમાં શું થશે, આપણે બે વર્ષ રહેવાનું છે અને જો આપણને પોતાનું મકાન ન મળે ત્યાં સુધી માં શું ફરક પડે કે આમાં વાસ્તુ સાચું છે કે ખોટું. પરંતુ તે ખોટું છે. જો તમે જે ઘર માં રહેનારા પ્રથમ વ્યક્તિ છો અને તમારા પહેલા તેમાં કોઈ અન્ય વ્યક્તિ રહેતી નથી, તો વાસ્તુદોષ હોવા છતાં પણ ઓછી સમસ્યાઓ આવશે કારણ કે વાસ્તુદોષ માટે સમય મર્યાદા છે. અમે બીજા બ્લોગમાં તેની સંપૂર્ણ ચર્ચા કરીશું.
યાંત્રિક ખામી સાથે મોટરસાયકલમાં મુસાફરી કરવી જીવન માટે જોખમી છે કે નહીં? તેવી જ રીતે જો ભાડા ના મકાન વાસ્તુદોષ હોય તો તેના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. જો કોઈની પાસે છત્રી હોય, પછી તે પોતાની હોય કે બીજાની હોય, તો શું છિદ્રવાળી છત્રી આપણને પાણીથી બચાવી શકે?
મારો બીજો એક મિત્ર આવા વાસ્તુદોષવાળા મકાનમાં ભાડે રહેવા ગયો હતો. આ ઘરનો સિંહ દરવાજો પશ્ચિમમાં છે અને રસ્તો અને દરવાજો પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં છે. દક્ષિણ-પશ્ચિમમાં એક જાહેર નળ છે, અને કમ્પાઉન્ડની દક્ષિણમાં દક્ષિણ-પશ્ચિમમાં એક દરવાજો છે. પશ્ચિમમાં વધુ ખાલી જગ્યા છે. ઘરના આ તમામ વાસ્તુ દોષો પુરૂષ પર ખરાબ અસર કરે છે. આ અશુભ ફળોથી તેમનો હસતો હસતો પરિવાર દુઃખી થઈ ગયો. તે પોતે લકવાગ્રસ્ત થઈ ગયો. મેં કેટલી વાર તેમને ઘર ખાલી કરવા સમજાવ્યા, પણ તેઓ માન્યા નહીં. તેણે એ રોગમાંથી મુક્તિ મેળવવા માટે હજારો વાર પ્રયત્નો કર્યા, પણ છેવટે ત્રીસ વર્ષ પૂરાં કરતાં પહેલાં જ એમનુ મૃત્યુ થયું.
બીજા મિત્રએ કારખાનું ભાડે રાખ્યું અને તેમણે પૂજા રાખી અને અમને બોલાવ્યા ત્યાં જઈને કારખાનું જોયું અને તેને જોઈને કહ્યું કે આ પૂજા કે હવન કરવાથી કંઈ નહીં થાય ત્યાંના વાસ્તુદોષ ની ખામીયે સુધારી લો નહીંતર તેને 6 મહિના સુધી માં તકલીફ માં આવી જાસો કેમ કે પેહલા પણ ત્યાં કોઈક ભાડે થી હતું તેટલે નકારાત્મક ઉર્જા જાગૃત હતી જ અને જેમ કહ્યું હતું તેમ, તેમની ફેક્ટરી માત્ર 7 મહિનામાં બંધ કરી દેવી પડી હતી. તેમાં દક્ષિણ-પશ્ચિમમાં 90 ડિગ્રી થી વધુ હતી, દક્ષિણ-પશ્ચિમમાં દક્ષિણ તરફથી એક ગેટ હતો, જેના પર રોડ અથડાયો હતો. જો તમારે 6 મહિના ભાડા પર રહેવાનું હોય તો પણ તમારે વાસ્તુદોષ સુધારવા માટે વિચારવું પડે.

Share this post